વાવાઝોડા ને લઈ ને અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાત ના આ આ વિસ્તારમાં આવશે વાવાઝોડુ…

વાવાઝોડા ને લઈ ને અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાત ના આ આ વિસ્તારમાં આવશે વાવાઝોડુ…

ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ફરી આવશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે વાવાઝૉડુ ભયાનક સ્વરૂપ લેશે.ચાલો અમે આપને જણાવીએ કે આખરે આ વાવાઝોડું ક્યારે આવશે અને ક્યાં ક્યાં તેની ગંભીર અસર થશે. હાલમાં ગુજરાતમાં એક તરફ ચોમાસાની સત્તાવાર રીતે એન્ટ્રી થઇ નથી પરંતુ ઉનાળો હોવા છતાં પણ ચોમાસા જેવો જ માહોલ છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે તા 9 અને 10 જૂનના રો વરસાદ થઇ શકે છે તેમજ આગામી 3 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. અરબી સમુદ્રમાં સર્જાયેલા સિસ્ટમના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે વાવાઝોડા અંગે આગાહી જણાવતા કહ્યું છે કે, 7 થી 9 જૂન સુધી દરિયો ભારે તોફાની બની શકે છે આ કારણે દરિયામાં 60 થી 90 કિમિના ઝડપે પવન ફુંકાઈ શકશે તેમજ આ વાવાઝોડાની અસર 15 જૂન સુધી રહેશે.

જેના કારણે દરિયામાં મોજા ઊંચા ઉછળશે અનેદક્ષિણ ગુજરાતમાં 60 થી 70 કિમિ ઝડપે પવન ફુંકાશે અને આ કારણે દરિયાથી એક હજાર માઈલ સુધી અસર રહેશે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ પવન ફૂંકાઈ શકે છે. સૌથી ચોંકાવનાર વાત એ છે કે વાવાઝોડાના કારણે ચોમાસુ મોડુ પડી શકે છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *