ભાવનગરમાં ભગવાન માટે સાફા બનાવતા બહેનનો અનોખો ચમત્કારિક કિસ્સો, એક વાર થયું એવું કે અચાનક…

ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે ત્યારે ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા માટે ખાસ વાઘા અને સાફાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
123અલગ અલગ પ્રકારના રંગબેરંગી કાપડમાં વિવિધ પ્રકારના ભરતકામ-ટીકી અને મોતીઓ દ્વારા સજાવટ કરી વાઘાઓ તેમજ સાફાઓ તેમના ખાસ કારીગર દ્વારા તૈયાર કરી આખરીઓપ આપવામાં આવી રહ્યો છે. આ વર્ષે ભાવનગર ખાતે રાજ્યની બીજા નંબરની ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરના માર્ગો પર નીકળનાર છે.
જેમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલારામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળનાર છે ત્યારે તેમના માટેના સુશોભિત વાઘા અને સાફાઓ ખાસ રીતે તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં સાધુ પરિવારના હરજીવનદાસ દાણીધારિયા નામના કારીગર છેલ્લા ૨૫ વર્ષથી નિશ્વાર્થ ભાવે ભગવાન જગન્નાથજી, બલરામ અને સુભદ્રાજીના વાઘા તૈયાર કરી રહ્યા છે.
વર્ષો વર્ષ તેઓ તેમાં વિવિધતા સાથે અલગ અલગ ભાતો મૂકી આ વાઘા તૈયાર કરે છે. જેમાં આ વખતે ખાસ રંગબેરંગી કાપડમાં અલગ અલગ ડીઝાઈનો, ભરતકામ, પેચવર્ક વગરે કામ કરી આ વાઘા તૈયાર કર્યા છે.