લ્યો બોલો..! ઘરે કથા કરવા બોલાવેલા કથાકારનો શિષ્ય ઘરના યજમાનની પત્ની સાથે રફુચક્કર થઈ ગયો…

આપણે સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો જોયા હશે જે જોઈને આપણે ચોકી જઈએ છીએ. આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લામાં સામે આવ્યો છે. આ મામલો પંડિત ધીરેન્દ્ર આચાર્યના શિષ્ય સાથે સંબંધિત છે, તેમના એક શિષ્ય નરોત્તમદાસ દુબે છે. જેવો છતરપુર જિલ્લાના ગામમાં કથા કરવા ગયા હતા, રાહુલ તિવારી નામનો વ્યક્તિ ગામમાં યજમાન હતો.
નરોત્તમદાસ દુબે એ કથા દરમિયાન યજમાનની પત્ની નો ફોન નંબર લીધો હતો, યજમાન ની પત્ની શિષ્ય નરોતમદાસ ના પ્રેમમાં પડી ગઈ હતી. તેની શરૂઆત 2021 માં થઈ હતી, બંને એકબીજાની સાથે ફોનમાં વાતો કરતા હતા. 5 એપ્રિલ 2022 ના રોજ કથાકાર નરોત્તમદાસ યજમાનાની પત્ની સાથે ભાગી ગયો હતો. એક મહિના સુધી પતિ તેની પત્નીના પરત આવવાની રાહ જોતો રહ્યો, પરંતુ પત્ની પાછી આવી ન હતી.
ત્યારે પતિ છત્તરપુર એસીપીને મળ્યો અને કથાકાર વિરુદ્ધ એફ. આર. આઈ નોંધાવી હતી. પોલીસ આરોપી નરોતમને શોધી રહી છે, જ્યારે મહિલાને એક બાળક છે, મહિલાના પતિએ જણાવ્યું કે અમે શહેર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. મહિલા બે દિવસ પહેલા પોલીસ સ્ટેશનમાં પોલીસ સમક્ષ હાજર થઈ હતી, છતરપુર પોલીસે મહિલાના પતિને પણ બોલાવ્યો હતો.
મહિલાએ પોલીસની સામે પતિને કહ્યું કે હું તમારી સાથે રહેવા માંગતી નથી, પતિએ જણાવ્યું કે આરોપી નરોતમદાસ ચિત્રકૂટમાં રહેતા જગદગુરુ ધીરેન્દ્ર ચાર્યાનો શિષ્ય છે. તેણે કથા માટે બોલાવ્યો હતો, પતિએ કહ્યું કે બંને ભાગી ગયા અને લગ્ન કરી લીધા છે. તેના પતિના કહેવા પ્રમાણે તેના લગ્ન 2014માં થયા હતા, તેમને આઠ વર્ષનો એક છોકરો છે. ઘરમાંથી દાગીના અને 80,000 રૂપિયા લઈને તેની પત્ની કથાકાર સાથે ફરાર થઈ ગઈ હતી.