માં-બાપ વગરનો 15 વર્ષનો ભાઈ બહેનના ઘરે રેહતો હતો, બહેને કહ્યું, ‘હવે તું તારી જવાબદારી જાતે સંભાળી લે’ અને ભાઈને માઠુ લાગી જતા કર્યું એવું કે…જુઓ

માં-બાપ વગરનો 15 વર્ષનો ભાઈ બહેનના ઘરે રેહતો હતો, બહેને કહ્યું, ‘હવે તું તારી જવાબદારી જાતે સંભાળી લે’ અને ભાઈને માઠુ લાગી જતા કર્યું એવું કે…જુઓ

આજકાલ અવનવી વાતોને લઈને કેટલાક લોકોને માઠું લાગી જતું હોય છે. અને તેઓ આપઘાતનું પગલું ભરી લેતા હોઈ છે. અને હવે તો 18 વર્ષ કરતાં નાની વયના યુવક યુવતીઓ પણ આપઘાત કરવા લાગ્યા છે. ગઈકાલે ભીમતારાના સુરેથા વિસ્તારમાંથી માત્ર પંદર વર્ષની ઉંમરના એક યુવકે આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે..

સુરેથા વિસ્તારમાં હનુમાન મંદિરની સામે એક સોસાયટી આવેલી છે. જેમાં અલ્પેશ જોથીડા નામનો યુવક પોતાની બહેનના સાથે રહેતો હતો. અલ્પેશના માતા પિતાનું ઘણા વર્ષો પહેલાં મૃત્યુ થયું હતું. આ ઉપરાંત તેના બે સગા ભાઈઓનું પણ પાછળના બે વર્ષની અંદર અંદર મૃત્યુ થઇ જતાં અલ્પેશ એકલો પડી ગયો હતો..

એટલા માટે તેની બહેનની સાથે રહેવા માટે આવી ગયો હતો. 15 વર્ષનો અલ્પેશ ભણતો હતો. અને સતત પોતાના પરિવારને લઈને ચિંતિત રહેતો હતો. એક દિવસ અલ્પેશને તેની બહેને જણાવ્યું કે, હવે તું 15 વર્ષનો થઈ ગયો છે. હવે તું તારી જવાબદારી પોતે સંભાળી લેજે. આ શબ્દો બહેના મોઢેથી સાંભળીને અલ્પેશ ખૂબ જ સૂનમૂન થઇ ગયો હતો.

અને તેને પોતાની બહેનના શબ્દો ખૂબ જ કડવા અને આકરા લાગ્યા હતા. આ શબ્દોનું તેને માઠું લાગી આવ્યું હતું. અને તેણે વિચાર્યું કે મારે માતા-પિતાને ભાઈનો સહારો નથી. માત્ર પંદર વર્ષની ઉંમરમાં તે ક્યાં જશે..? અને કેવી રીતે જીવન જીવજે..? આ તમામ બાબતો વિચારતો વિચારતો તેણે આપઘાત કરી લેવાનું નક્કી કર્યું હતું..

અને પોતાના માતા-પિતાને પોતાના ભાઈની જેમ જ સ્વગમાં ચાલ્યો જાય તેમ વિચારીને પોતે એક રૂમમાં આપઘાત કરી લીધો હતો. એક દિવસ તેની બહેન ઘરે હાજર હતી નહીં. ત્યારે તેણે આપઘાત કરી લીધો હતો. તેની બહેન જ્યારે બહારથી ઘરે આવી ત્યારે દરવાજો ખોલતા જોયું તેનો ભાઈ મૃત હાલતમાં મળી આવ્યો હતો..

આ દ્રશ્ય જોતાની સાથે જ હોબાળો મચાવવા લાગી હતી અને જોર જોરથી બુમો પાડતા આસપાસના પડોશીઓ તેમના ઘરે દોડી આવ્યા હતા. આ બાબતની જાણ નજીકના પોલીસ સ્ટેશને પણ કરી દેવામાં આવતા પોલીસનો કાફલો તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને અલ્પેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે શહેરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે આગળની પૂછપરછ શરૂ કરી છે..

જ્યારે જ્યારે આવી હચમચાવી દેતી ઘટનાઓ બની જતી હોય ત્યારે સૌ કોઈ લોકો માથા પકડીને વિચારવામાં મજબૂર બની જતા હોય છે. અત્યારે ઘણા લોકો કહી રહ્યા છે કે, સગી બહેને તેના 15 વર્ષના ભાઈને ક્યારેય આવી વાતો કહેવી જોઈએ નહીં કારણ કે, 15 વર્ષના દીકરાની ઉંમર હજુ ખૂબ જ નાની હોવાને કારણે તેની સાચવણી કરી અને તેને ભણાવવા ગણાવાની દરેક જવાબદારીઓ બેને સંભાળવી જોઈએ આ ઘટનાથી ઘણા બધા લોકો ખૂબ જ દુઃખી થયા છે..

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *